WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હોળીની ઝાળ, જાણો હોળીની ઝાળનો પવન કઈ દિશામાં જાય તો આવતા વર્ષનું ચોમાસુ કેવું રહે?

હોળીની ઝાળ: સોમવારે હોળી છે અને સાંજે સારા ચોઘડિયામાં તમામ ગામ અને વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવશે , પ્રાચીન મહિમા મુજબ ઘણા વૃદ્ધ લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાળ કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે તેનું દર વર્ષે નિરીક્ષણ કરતા હોય છે, એમ કહેવાય છે કે હોળીની ઝાળ પવન પરથી આવનારૂ વર્ષ કેવું રહેશે? તેનો ખ્યાલ આવી જાય છે. ચાલો આજની પોસ્ટમાં જાણીએ કે હોળીની ઝાળ એટલે કે હોળીનો પવન કઈ દિશામાં રહે તો આવતા વર્ષે કેવો વરસાદ થાય.

હોળીની ઝાળ (પવન)

હોળીનો તહેવાર આધ્યાત્મિક રીતે તો ઘણું મહત્વ ધરાવે છે, હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે, હોળીમાં પવનની દિશા પરથી આવનારા વર્ષના શાંતિ , સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન કરી શકાય છે. એ જ રીતે પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળનું અનુમાન પણ લગાવી શકાય છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો અંગે મહત્વની માહિતી આપી છે

આને પણ વાંચો: હોળી-ધુળેટીની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવવા તમારા ફોટા વાળું કાર્ડ બનાવવા અહીં ક્લિક કરો

હોળીની ઝાળ નું આધ્યાત્મિક મહત્વ શું છે?

આપણે ત્યાં પ્રાચીન એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે. “હોળી દિનન નો કરો વિચાર , શુભ અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ વાય એ જ સમય સારો કહેવાય.” ગામો ગામમાં હોતાસણી શુભ મુહૂર્તમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે હોળીની ઝાડ કઈ દિશામાં જાય છે તેનું ખાસ અવલોકન કરવામાં આવે છે જો પશ્ચિમ નો પવનાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાડ જાય તો ચોમાસે વરસાદ સારો રહે તેવી માન્યતા છે

હોળીની ઝાળ પરથી વરસનો વર્તારો

ચાલો આ ચાર્ટ દ્વારા સમજીએ કે હોળીની ઝાડ કયો દિશામાં જાય તો કેવું વર્ષ થાય તે અંગે શું છે પ્રાચીન માન્યતા જુઓ

  • હોળીના પવનની દિશા પરથી વરસાદનો હનુમાન પણ કરવામાં આવે છે
  • હોળીમાં ઉત્તર દિશા નો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય અને શિયાળો સારો ગણાય અને ધાન્ય ઘણો પાકે
  • હોળીમાં પૂર્વ દિશા નો પવન ફૂંકાય તો બારે આની વર્ષ થાય એવી માન્યતા છે એટલે કે વરસાદ ખૂબ જ સારો થાય
  • હોળીમાં પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય તો વાડી ન સુકાય તેવો સારો વરસાદ થાય તેવી માન્યતા છે એટલે કે આઠ આની ચોમાસું રહે
  • હોળીમાં દક્ષિણ દિશાનો પવન ફૂંકાય તો દુષ્કાળનો ભય સેવાય અને ધાન્યાની અછત સર્જાય તેવી પ્રાચીન માન્યતા છે
  • હોળીમાં ઇશાન ખૂણાનો પવન ફૂંકાય તો વરસ સારું રહે પણ ઠંડી રહે એટલે કે સોળ આની વરસ થાય તેવું માનવામાં આવે છે
  • હોળીમાં વાયવ્ય દિશા નો પવન શું કાયદો પવન સાથે વરસાદ સારો રહે
  • હોળીમાં નૈઋત્ય દિશાનો પવન વરસાદ લાવે છે અને રોગ જીવાત આવે તેવી માન્યતા રહેલી છે
  • હોળીમાં અગ્નિ દિશા નો પવન ફૂંકાય તો દુષ્કાળની સંભાવના રહે છે
  • ચારે દિશાથી પવન જુદી જુદી દિશામાં ફરે તો વર્ષ નબળું ગણાય છે
  • હોળીમાં ધુમાડો સીધો ઉપર જાય તો યુદ્ધ લડાઈ જેવી શક્યતાઓ રહેલી છે તેવી માન્યતા છે

આને પણ વાંચો : હોળી ના શુભ મુહૂર્ત જાણો અહીંથી

અગત્યની લીંક

હોમ પેજ અહીં ક્લિક કરો
નિયમિત અપડેટ માટે whatsapp ગ્રુપ જોઈન કરોઅહીં ક્લિક કરો
 હોળીની ઝાળ કઈ દિશામાં જાય તો વર્ષ સારું રહે છે?

હોળીનો પવન ઈશાન અને પૂર્વ દિશામાં જાય તો ચોમાસુ ખૂબ સારું રહે છે.

Leave a Comment