WhatsApp ગ્રૂપમાં જોડાવો!

લુ થી બચવાના ઉપાયો, ઉનાળાની કાળજાળ ગરમીમાં લુ થી બચવા કરો આ ઉપાય

લુ થી બચવાના ઉપાયો : tips of cure heatstoke : ઉનાળામાં ફૂંકાતા ગરમ પવનને લુ કહે છે, સતત તડકામાં રહેવાથી લુ એટલે કે હિટ્સ સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે, હજુ તો શિયાળાની વિદાય થઈ છે ત્યારે સવારે અને રાતે ઠંડી અને બપોરે ઉનાળાની ગરમ હવા સાથેની બેવડી ઋતુમાં અત્યારની બપોરે પડી રહેલી આકરી ગરમીથી લોકોએ સાચવવું પડશે નહીં તો અચાનક વધી રહેલું તાપમાન સ્વાસ્થ્ય માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે…. કારણ કે અન્ય ગંભીર બીમારીઓ અને વાયરસ જેટલી જ જીવલેણ લુ હોય છે, જે શરીરનું તાપમાન એકદમ વધારી દે છે. એક સર્વે અનુસાર દર વર્ષે ઘણા લોકો લુ ના કારણે મૃત્યુ પામે છે.

પોસ્ટ નું નામ લુ થી બચવાના ઉપાયો
કેટેગરીહેલ્થ ટીપ્સ
હોમપેજઅહીં ક્લિક કરો

લુ થી બચવાના ઉપાયો

  • ગરમીના દિવસોમાં ભૂખ્યા પેટે બહાર બિલકુલ ન જવું જોઈએ . શરીરમાં એનર્જી લેવલ ગરમીમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લુ લાગવાની સંભાવના વધી જતી હોય છે.
  • જો તમે AC કે કુલરમાં ઠંડા સ્થાન પર હોવ અને અચાનક ક્યાંય બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જવું જોઈએ તેના કારણે લુ લાગવાની સમસ્યા થઈ શકે છે
  • ગરમીના દિવસોમાં આખો દિવસ શરીર માટે જરૂરી પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય
  • ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવુ જોઈએ.. શરીરને થોડીવાર વાતાવરણ સાથે અનુકૂલન સાધવા દો, ત્યાર પછી પાણી પીવો… અને એકદમ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં, ઉનાળાની ઋતુમાં માટલા નું પાણી પીવું ખૂબ જ હિતાવહ હોય છે.

આને પણ વાંચો: PM કિસાન યોજના 13 મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહીં ચેક કરો અહીંથી

  • શરીરમાં વધારે પરસેવો થવા પર તરત ઠંડુ પાણી નહીં પીવું જોઈએ જે ખતરનાક સાબિત થઈ શકે છે
  • ઋતુગત આવતા આવતા ફળ જેવા કે કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે લુ થી બચાવે છે માટે ઉનાળા માં તે જરૂર લેવા જોઈએ આ સિવાય દહીં , મઠો, છાશ, લસ્સી , કેરીનું શરબત વગેરે પણ પીતા રહેવું જોઈએ
  • ગરમીના દિવસોમાં સરળતાથી પાચન થાય તે રીતે હળવું ભોજન કરવું જોઈએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે
  • શાકભાજીના જ્યુસ / સૂપ બનાવી પી શકો છો તેનાથી પણ લુ થી બચી શકાય છે
  • ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા જેવી વસ્તુઓ ખાવી જોઈએ તેનાથી પણ લૂ નો ખતરો ઓછો રહે છે
  • ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમા મેળવી તેને ચાટો….. તેનાથી પણ લુ લાગવાની શક્યતાઓ ઓછી રહે છે
  • ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ લાગતી નથી… એટલું જ નહીં કાચી ડુંગળી ખાવાથી પણ લુ થી બચી શકાય છે માટે ઉનાળાની ઋતુમાં ડેઇલી જમવામાં કાચી ડુંગળીનો સલાડ તરીકે ઉપયોગ કરવો જરૂરી છે
  • દાદીમાના ઘરેલુ નુસખા પ્રમાણે લુ લાગ્યા બાદ તેનાથી બચવા માટે કાચી કેરીનો લેપ શરીર પર લગાવવો જોઈએ
  • લુ થી બચવા કેરીના ગોટલા ને પગના તળિયે ઘસી અને માલિશ પણ કરી શકાય છે
  • ગરમીના કારણે શરીરમાં અરાઈ થઈ જાય તો ચણાના લોટને પાણીમાં ભેળવી અરાયની જગ્યા પર લગાવવાથી તેમાં રાહત થાય છે
  • ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડરને મિક્સ કરીને પીવાથી લુ થી બચી શકાય છે
  • કાચી કેરી ખાવાથી લુ ઓછી લાગે છે
  • શરબતમાં બરફ નાખી પીવાથી લુ થી બચાવ થાય છે
  • ગરમીના સમય દરમિયાન હળવા ખોરાકનો ઉપયોગ કરવો જરૂરી છે વધારે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ.
  • જ્યારે તમે ઘરની બહાર જવાનું પ્લાનિંગ કરો ત્યારે સિન્થેટિક કપડા ની જગ્યાએ સંપૂર્ણ સ્લીવડ કોટન અને હળવા રંગના કપડા પહેરવા જોઈએ
  • ઉનાળામાં ફ્રીઝ ના ઠંડા પાણી કરતા માટલા નું પાણી પીવુ હિતાવહ રહેશે

અગત્યની લીંક

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
અન્ય હેલ્થ ટિપ્સ માટેઅહીં ક્લિક કરો

હેલ્થ લગતા આવી અવનવી માહિતી ડેઇલી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું… તથા ડેઈલી અમારી વેબસાઈટની મુલાકાત લેવી તેમજ માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં

Leave a Comment