દિવ્યાંગ વ્યક્તિઓને ટુવીલ ખરીદવા માટે સહાય યોજના જાહેર :
અસ્થિ વિષયક દિવ્યાંગોને પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
પાત્રતાનું ધોરણ
- 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે.
ઉમર મર્યાદા
- 18 વર્ષથી 50 વર્ષની વચ્ચેના દિવ્યાંગ વ્યક્તિઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
સહાયની રકમ
- મહત્તમ 25 હજાર રૂપિયા અથવા
- સ્કુટરની ખરેખર કિંમતના 50% રકમ
- બેમાંથી જે ઓછું હશે તે ઉમેદવારને મળવાપાત્ર રહેશે.
સહાય વિતરણ
- સ્કૂટરની ખરીદી અંગેની જિલ્લા અધિકારીની મંજૂરી બાદ લાભાર્થીએ સ્કૂટરની ખરીદી કરવાની રહેશે
- સ્કૂટરની ખરીદી કર્યા બાદ પુરાવા રજૂ કરવાના રહેશે
- પુરાવા રજૂ કર્યા બાદ સહાયની રકમ ઉમેદવારના બેંક ખાતામાં સીધી એકાઉન્ટમાં ડીબીટી દ્વારા જમા થશે
અરજી કરવાની છેલ્લી તારીખ
- આ યોજના અંતર્ગત ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 /11 /2025 છે
અગત્યની લીંક
ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/
