ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષાની પેપર સ્ટાઇલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ નવા ફેરફાર અને નવા નિયમની અસર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં થશે કારણકે અગામી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે આપ સૌને જણાવીએ કે વર્ષ 2025 26 માં પરીક્ષામાં મોટો ફેરફાર થવાની તમામ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મૂંઝવણ થતી હતી પરંતુ હવે તેમના હિત માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
અગાઉ પણ પરીક્ષા પેટર્નને લઈને મોટા ફેરફાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યા હતા ફરી એકવાર નવા નિયમો બદલવામાં આવ્યા છે અગામી સમયમાં આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે પરંતુ હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ નવા પ્રશ્નપત્ર ના નમુનામાં ફેરફાર કરવામાં આવ્યા છે આ સાથે જ પેપર સ્ટાઇલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ધોરણ 10 અને 12 ની પરીક્ષા માં ફેરફાર
મળતી માહિતી અનુસાર ધોરણ 10 અને 12 ની પરીક્ષા ના પ્રશ્નપત્રોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 26 માટે એટલે કે અગામી બોર્ડની પરીક્ષા માટે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના ગણિત સિવાય અંગ્રેજી અર્થશાસ્ત્ર સામાન્ય વિજ્ઞાન સહિતના વિષયોના પ્રશ્નપત્રમાં મોટા ફેરફાર કર્યા છે જેમાં દ્રષ્ટિ હિન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ પ્રશ્નો આપવા મામલે પણ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે જોઈ શકતા નથી તેમના માટે પણ મહત્વના ફેરફાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અગામી દિવસોમાં હજુ પણ આ અંગે મોટા ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.
શિક્ષણ મંત્રીના મીડિયા ના માધ્યમથી જણાવ્યા અનુસાર ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં ઘણી બધી મૂંઝવણ હતી જેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દ્રષ્ટિ હિન વિદ્યાર્થીઓ માટે સવાલો સામાન્ય વિદ્યાર્થીઓએ લખ્યા હોવાનો સામે આવ્યો હતો ત્યારે સરકારે આ સમસ્યાનો નિરાકરણ કરવા માટે ધોરણ 10 અને 12 ના પ્રશ્નપત્રમાં જરૂરી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે જેથી તમામ દિવ્યાંગ બાળકોને આ ફેરફાર નો મોટો ફાયદો થશે.
અહીંથી વાંચો વિગતવાર ન્યુઝ : અહીં ક્લિક કરો
