WhatsApp ગ્રૂપમાં જોડાવો!

CAA Rules: સમગ્ર દેશમાં થયો CAA કાયદો લાગુ : CAA કાયદો શું છે? જાણો સંપૂર્ણ માહિતી.

CAA Rules: સમગ્ર દેશમાં થયો CAA કાયદો લાગુ : CAA કાયદો શું છે? જાણો સંપૂર્ણ માહિતી: what is CAA : Citizenship Amendment Act : કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જાણો આ કાયદો શું છે? અને આ કાયદા દ્વારા કોને લાભ થશે? આ કાયદા દ્વારા શું બદલાશે? આ કાયદાની જોગવાઈઓ કઈ કઈ છે? જાણો સંપૂર્ણ માહિતી.

લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહે છે ચૂંટણીની પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદો ને લઇ મોટી જાહેરાત કરવામાં આવેલી છે. Citizenship Amendment Act સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. હવે ત્રણ દેશોમાંથી આવેલ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. આ કાયદાના રુલ્સ અને જોગવાઈઓ નીચે મુજબ છે.

આને પણ વાંચો ગુજરાત ગૌણ સેવા દ્વારા ક્લાર્ક ભરતીની પરીક્ષા જાહેર. વાંચો સંપૂર્ણ કાર્યક્રમ. માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

જાણો CAA કાયદો શું છે.

  • સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ CAA એ ભારતીય નાગરિકતા આપવા માટેનો કાયદો છે.
  • ભારતમાં જે વર્ષોથી સ્થાયી થયેલા લોકો છે કે જે હિન્દુ ધર્મના નથી તે અન્ય ધર્મના લોકોની નાગરિકતા છીનવવા માટેનો આ કાયદો નથી.
  • ભારતના પાડોશી દેશો જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ માંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને આ CAA કાયદા હેઠળ ભારતની નાગરિકતા આપવામાં આવશે.
  • પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એ સંપૂર્ણપણે મુસ્લિમ દેશો છે.
  • આ ત્રણે દેશોમાં મુસ્લિમ જાતિ ની બહુમતી છે, જેથી કોઈ બહુમતી જાતિ ને અન્ય કોઈપણ દેશની નાગરિકતા ની જરૂર પડતી નથી.
  • નાગરિકતા ની જરૂરિયાત લઘુમતી જાતિને પડતી હોય છે.
  • આ ત્રણે દેશોમાં હિન્દૂ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકોને લઘુમતીઓ તરીકે ત્યાં વસવાટ કરવો પડી રહ્યો છે.
  • આ ત્રણ દેશોમાં વસવાટ કરતાં લઘુમતીઓને ભારતની નાગરિકતા આપવાનો CAA કાયદો છે.
  • ઉપર જણાવ્યા મુજબની 6 ધર્મના લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયા હશે તેઓને આ કાયદા અંતર્ગત ભારતની નાગરિકતા આપવામાં આવશે.
  • ભારતની નાગરિકતા મેળવવા માટે આ લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આને પણ વાંચો ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા જાહેર જાણો સંપૂર્ણ માહિતી. કેવી રીતે ફોર્મ ભરવું કેટલી શિષ્યવૃત્તિ મળશે ક્યારે છે પરીક્ષા. માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

Citizenship Amendment Act

ભારતીય નાગરિકતા અધિનિયમ એટલે કે Citizenship Amendment Act ને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ કાયદાનો અમલ કરવા માટેની જાહેરાત હવે કરવામાં આવી છે. સી એ એ કાયદાને લઈને અગાઉ મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના સાત રાજ્યોમાં આ કાયદાનો વધુ વિરોધ કરવામાં આવ્યો હતો. કેમ કે બીજા દેશોમાંથી આવેલા શરણાર્થીઓ મોટાભાગે આ સાત રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં રહેતા મતુઆ સમુદાય ધરાવે છે CAA સાથે ખાસ સંબંધ

પશ્ચિમ બંગાળમાં રહેતા મતઆ સમુદાયના લોકો 1947 બાદ સમ્યાન્તરે બાંગ્લાદેશમાંથી ભારતમાં આવી સ્થાયી થયા. પરંતુ તેઓને ભારતની નાગરિકતા મળી નથી. CAA ના લાગુ થવાથી પશ્ચિમ બંગાળમાં રહેતા મત્વા સમુદાયના લોકોને ભારતની નાગરિકતા મળી રહેશે. મતવા સમુદાયના લોકો અનુસૂચિત જાતિ હિન્દૂ ધર્મના છે અને કુલ બે કરોડ જેટલી વસ્તી આ સમુદાયની છે. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા સીએએ લાગુ કર્યા બાદ આ સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાચા અર્થમાં તેઓ હવે આઝાદ થયા તેવું મીડિયા રિપોર્ટમાં જણાવી રહ્યા છે.

ઉત્તર પૂર્વના રાજ્યો ની સ્થિતિ

ગારો અને જૈન ત્યાં જેવી જાતિઓ મૂળ મેઘાલયના વતની છે. પરંતુ લખીમ લઘુમતીઓના આગમન પછી આ જાતિઓ પાછળ રહી ગઈ છે. દરેક જગ્યાએ લઘુમતીઓનું વર્ચસ્વ વધ્યું છે. એ જ રીતે ત્રિપુરા રાજ્યમાં બોરક જાતે ત્યાંની મૂળ નિવાસી છે પરંતુ ત્યાં પણ બંગાળમાંથી આવેલ શરણાર્થીઓની સંખ્યા ખૂબ વધી ગઈ હોવાથી સરકારે નોકરીઓમાં પણ મોટી પોસ્ટ પર આ બહારથી આવેલા શરણાર્થીઓ છે. હવે જો સી એ એ લાગુ થશે તો દેશવાસીઓને બાકી રહેલી તાકાત પણ ખતમ થવાની દેહસત અને અન્ય દેશોમાંથી આવતા અને સ્થાયી થતા લઘુમતીઓ તેમના સંશોધનો કબજે કરશે તેવા ડરથી નોર્થ ઈસ્ટ ના રાજ્યોમાં સી એ એનો જોરદાર વિરોધ કરવામાં આવતો હતો.

કોને આપવામાં આવશે નાગરિકતા

પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માંથી આવેલા હિંદુ, શિખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી એમ કુલ 6 ધર્મના લોકો ને આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા ઉપર મુજબના છ ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ કાયદા હેઠળ તે લોકોને ગેરકાયદેસર એની ગ્રેટ ગણવામાં આવશે જે લોકો માન્ય મુસાફરે દસ્તાવેજો જેમાં પાસપોર્ટ અને વિઝા વગર ભારતમાં પ્રવેશ્યા હશે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં આવેલા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ સમય મર્યાદા બાદ ભારતમાં આવેલા છે અને સ્થાયી થયેલા છે.

આને પણ વાંચો 50,000 થી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવો. લોન કેવી રીતે મેળવવી કેટલા ડોક્યુમેન્ટ જોશે અને બેંકના વ્યાજ દર કેટલા છે. જાણો સંપૂર્ણ માહિતી. માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

આ રાજ્યોમાં આપવામાં આવશે નાગરિકતા

  • ગુજરાત
  • છત્તીસગઢ
  • હરિયાણા
  • પંજાબ
  • મધ્યપ્રદેશ
  • મહારાષ્ટ્ર
  • રાજસ્થાન
  • ઉત્તર પ્રદેશ
  • દિલ્હી

નાગરિકતા મેળવવા માટેની પ્રોસેસ.

  • નાગરિકતા મેળવવા માટે ની સમગ્ર પ્રોસેસ ઓનલાઇન થશે.
  • સરકારશ્રી દ્વારા એક ઓનલાઇન પોર્ટલ તૈયાર કરવામાં આવશે
  • આ કાયદા અન્વયે પાત્રતા ધરાવતા વિસ્થાપિત લોકો એ ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે
  • અરજી કર્યા બાદ ગૃહ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અને યોગ્યતા સાબિત થયે નાગરિકતા આપવામાં આવશે.

મહત્વની લિંક.

વધુ માહિતી વાંચવા માટે હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો
સરકારી યોજનાઓ ની માહિતી મેળવવાઅહીં ક્લિક કરો

Leave a Comment